કાલાવડ: ઘોર કળિયુગ, શિવલિંગ ચોતરફે લગાવેલ ચાંદીના થરૂની ચોરી

0
737

જામનગર: કાલાવડ તાલુકાના ખરેડી ગામે આવેલ શિવ મંદિરમાં પ્રવેશી કોઈ ચોર શિવલિંગ પર ચડાવવામાં આવેલ ચાંદીના નાગની ચોરી કરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. બે સખ્સો મંદિર તરફ જતા અને પરત હાથમાં કૈક લઈ આવતા સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યા છે. પોલીસે બંને સખ્સો સામે શંકા વ્યક્ત્ કરી તપાસ હાથ ધરી છે.

જામનગર જીલ્લાના કાલાવડ તાલુકા મથકથી ૩૨ કિમી દુર આવેલ ખરેડી ગામે ચોરીનો બનાવ સામે આવ્યો છે. જેની વિગત મુજબ, ગામમાં આવેલ ખરડેશ્વર મહાદેવ મંદીરમાં ગત તા.૨૭/૦૫/૨૦૨૩ના રોજ રાત્રીના દોઢેક વાગ્યા થી અઠી વાગ્યા સુધીના સમયગાળામાં કોઈ અજાણ્યો ચોર મંદિર અંદર પ્રવેશ્યો હતો. આ શકશે મંદીરના ગર્ભગુહમા પ્રવેશી શિવલીગના ફરતે બનાવવામાં આવેલ બે કિલો ચાંદીથી બનાવવામાં આવેલ થારુંને કોઇ તીક્ષ્ણ હથીયાર વડે ઉખાડી ચોરી કરેલ લઇ ગયો હતો. આ બનાવની બીજા દિવસે સવારે જાણ થતા મંદિરમાં સેવા પૂજા કરતા કપિલ મારાજે અજાણ્યા સખ્સ સામે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં રૂપિયા ૫૨૦૦૦ની કીમતના ચાંદીના થરાની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here